ખેરગામ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની ઉજવણી કરવામાં આવી.

 


દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે ખેરગામ તાલુકાના ચાર રસ્તા પર આવેલ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પર તેઓને પુષ્પાંજલી અર્પણ કરી તેમની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી  પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ,  ખેરગામ ધોડિયા સમજનાં મંત્રી શ્રી અમ્રતભાઈ પટેલ તેમજ ગામનાં અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા હતા. 




Post a Comment

0 Comments