ખેરગામ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

                                                 

ખેરગામ:  આજ રોજ તારીખ -૧૪-૦૪-૨૦૨૩નાં દિને  ખેરગામનાં  ડૉ.બાબા સાહેબ  આંબેડકર સર્કલ પાસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવનચરિત્ર અને સમાજના ઉત્થાનના કાર્યોની ચર્ચા કરી ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરો-અંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.

સરપંચ કાર્તિક પટેલ, નટુભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ડો.અમિત, ડો.કૃણાલ, નમ્રતા, અંકુર શુક્લા, ડો.રવિન્દ્ર, યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ, જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી, મોહનભાઇ નારણપોર, વિમલભાઈ વકીલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, દલપત પટેલ, કીર્તિ પટેલ, નિતેશ પટેલ, રાકેશ પટેલ,વકીલ નિશાંત પરમાર,જીગ્નેશ પટેલ,જીતેન્દ્ર,ભાવેશ, ભાવિન, કાર્તિક, રીંકેશ, યોગિતા, જયમીન,પથિક, હિરેન, વિષ્ણુ, આશિષ ચૌહાણ, જગદીશભાઈ, હર્ષદભાઈ આપ, હર્ષદભાઈ, શીલાબેન, જયાબેન, અશોકભાઈ, નીતા, વંદના, મયુર, જીગર, ખ્યાતિ, શીતલ, અમિષા, અંકિતા,આશિકા, ટ્વિકંલ, મનાલી, શિવાની, રિંકુ આહીર સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 


Post a Comment

0 Comments